બુલંદ ઈરાદા
હિમાદ્રીશૃંગની ઊંચાઈ માટે તમને તમારી જાત શ્રુલ્લક લાગે છે ?
તો ભૂલવું ન જોઈએ કે હિમાદ્રીના શિખરઢંક ઢાંકી દે તેવા
ગહન મહાસાગર પણ પડ્યા છે .
જીવનની યાતના ગમે તેટલી વિકટ હોય પણ
માણસને એ યાતનાથી દુર નાસી જવાનો અધિકાર નથી ,
કારણ કે એ જ એના જીવનપથનું નિયામક બળ છે .
ધૂમકેતુ –
અસામાન્ય માણસ
અસામાન્ય માણસ
જે કોયડો અણઉકેલ્યો પડ્યો છે તેનો ઉકેલ કરવા મથવું
એ માણસનો સાચો પુરુષાર્થ બતાવે છે .
એમાં અગમ્યતા જેવી આંધળી શ્રધ્ધાનું લક્ષણ છે ;
એનો ઉપહાસ કરવો તે અભિમાનભર્યું અજ્ઞાન દેખાડે છે .
સામાન્ય માણસ કાં તો નમે છે અથવા મશ્કરી કરે છે .
અસામાન્ય માણસ જ એનો ઉકેલ કરવા મથે છે
જ્ઞાનબળ
માત્ર જીવંત મૃત્યુ પામેલો મનુષ્ય અને
દર પળે જીવન જીવતો મનુષ્ય આ બંને જ સ્થિર રહી શકે
પહેલો પોતાના અજ્ઞાનથી ,
બીજો પોતાના જ્ઞાનબળથી .
ધૂમકેતુ -દાર્શનિક વિન્યાસની ટૂંકાક્ષરી
તો નવી દુનિયા જન્મે
જ્યારે ગરીબી -મનની ,તનની,ધનની ,
હરેક પ્રકારની ગરીબી
સૌ સાથે વહેચવા બેસશે ત્યારે
એક અતિ આશ્ચર્યજનક ઘટના બનશે :
તેઓ જે વસ્તુ વહેચવા માંગે છે એ ગરીબી જ
ત્યાં નહિ હોય
દુનિયામાં કેટલાક ને બહાદુરી મળે છે
કેટલાકને ગરીબી મળે છે .
કેટલાકને સમૃદ્ધિ ને સંતાપ મળે છે
એ ચારે વસ્તુઓ ,
માતા પૃથ્વીના સૌ સંતાન —ભાઈઓ ભાગ પડે તેમ
ભાગ પાડીને વહેચી લે , તો નવી દુનિયા જન્મે
=ધૂમકેતુ
પ્રતિભાવ