મુખ્ય પૃષ્ઠ
> ધૂમકેતુ (રજકણ) > જનનીભાવ
જનનીભાવ
કોઈપણ નારીએ ગમે તેવા કપરા સંયોગોમાં પણ |
એક વસ્તુ છોડવાની નથી અને તે એનો વિશ્વવ્યાપી જનનીભાવ. |
રખડું, લફંગા, ઠગ, ચોર, ખૂની, શઠ, ઘરવિનાનાં, ભિખારી – |
સૌના અંતરમાં એક અવિચલ શ્રદ્ધા નથી કે , |
તેઓ ગમે તેટલા રખડતા હોય ને ગમે તેવા દુષ્ટ હોય , |
પણ ગમે તે પ્રદેશના ગમે તે એકલદોકલ ઝાડ નીચે , |
કોઈપણ અજાણી નારી એમને બે ઘડી માટે જનની ભાવથી છાઈ દેશે? |
આ મહાન આશા વિના તો કોઈપણ માણસ કાંઈપણ |
સાહસ કરી શકે ખરો ? |
Categories: ધૂમકેતુ (રજકણ)
કોઈપણ નારીએ ગમે તેવા કપરા સંયોગોમાં પણ
એક વસ્તુ છોડવાની નથી અને તે એનો વિશ્વવ્યાપી જનનીભાવ.
તો બનશે …
જનની જગદાધારિણી મા
સકલ ભવભયહારિણી, વરદાયિની
શક્તિ રૂપા તું ભવાની, અંબિકા જગદીશ્વરી
બ્રહ્મ સકલે વ્યાપ્ત તું છે માત તું વિશ્વેશ્વરી
તું પરમ સુખદાયીની, વરદાયિની
સૌમ્યવદની તું સરસ્વતી, મા અમારી શારદે
જ્ઞાનની સરિતા વહાવી શબ્દ-સુર વરદાન દે
જનની ભાવથી મહાન કોઈ નથી.