Archive for જુલાઇ, 2011
સૌંદર્ય
જુલાઇ 19, 2011
2 comments
સૌંદર્ય કેવળ દેહનું નથી .
માનવ જીવનમાં ક્યારેક એવી પળ આવે છે કે
જાતીય આકર્ષણ ,સૌંદર્ય પિપાસા ,અને પ્રેમ
ત્રણે એકરૂપ બનીને જીવનને સામર્થ્યથી છલોછલ ભરી દે છે
ધૂમકેતુ
Categories: ધૂમકેતુ (રજકણ)
સંસ્કારિતા
જુલાઇ 18, 2011
4 comments
પૈસા સાચવવામાં જડતા ચાલે .
પણ
વાપરવામાં તો સંસ્કારિતા જ જોઈએ .
ધૂમકેતુ
Categories: ધૂમકેતુ (રજકણ)
આધ્યાત્મિક માર્ગ
જુલાઇ 17, 2011
4 comments
દરેક જુવાનને વારસામાંપૈસા મળે કે ન મળે .
એ પ્રશ્ન મહત્વનો નથી : વિદ્યા પણ મળે કે ન મળે :
પણ એક વસ્તુ તો મળવી જ જોઈએ. અને તે છે સંસ્કારી ગરીબી .
આળસુ શ્રીમંતાઈ વારસા તરીકે મળે તે ભયંકર વસ્તુ છે :
વડકા કરતી ગરીબી મળે , એ વળી એનાથી પણ ભયંકર વસ્તુ છે:
પણ સંસ્કારી ગરીબી મળે એ એક જ માર્ગ આધ્યાત્મિક છે .
ધૂમકેતુ =
Categories: ધૂમકેતુ (રજકણ)
મહોત્સવ
જુલાઇ 17, 2011
2 comments
માનવને જીવનમાં એકપળ એવી આવે છે
જયારે એ પોતે પોતાપણું ભૂલી જવા મથે છે.
જયારે એના ‘ હું ‘કોઈ ‘ તું ‘ ને શોધે છે :
એ શરૂઆતની જાતીય આકર્ષણ થી ભરપુર જીવનપળ
છેવટે તો ‘ હું ‘ અને ‘ તું ‘ ના આલોપમાં પરિણમે છે;
જયારે એ બંને – સ્ત્રી અને પુરુષ એકબીજાને એકબીજામાં સમાવી દે છે .
ત્યારે ઋતુરાજ વસંત ,જેમ કુદરતને નવજીવન બક્ષે છે
તેમ આ પ્રેમ માનવને નવી શક્તિ આપે છે :
લગ્ન એ એકરીતે નવું સામર્થ્ય મેળવવાનો મહોત્સવ છે
ધૂમકેતુ=
Categories: ધૂમકેતુ (રજકણ)
ધર્મ અને વિજ્ઞાન
જુલાઇ 13, 2011
1 comment
જે ધર્મ વિજ્ઞાનને દુશ્મન ગણશે તે ધર્મ
આ જમાનાની એક કઢંગી વિચિત્રતા તરીકે રેહશે
સત્ય અને અહિંસાને પણ વિજ્ઞાન જ કસોટી કરીને મહાન ગણશે
એ જ કહેશે કે ગુનેગારીવૃત્તિના વિનાશ માટે આટલી લોહીશુધ્ધી જરૂરી છે :
આટલી ધર્મવૃત્તિ આવશ્યક છે .
ધર્મ અને વિજ્ઞાન એકબીજાના મિત્રો બનીને રહે તો જ બંને ટકી શકે
ધૂમકેતુ
Categories: ધૂમકેતુ (રજકણ)
પ્રતિભાવ