મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > ધૂમકેતુ (રજકણ 9)

ધૂમકેતુ (રજકણ 9)

સપ્ટેમ્બર 6, 2009 Leave a comment Go to comments

ઈશ્વર


ઈશ્વર નથી એમ ‘કહેવું “એ સહેલામાં સહેલું છે
ઈશ્વર છે એમ “કહેવું ” એ વળી એના કરતા પણ સહેલામાં સહેલું છે
પણ ઈશ્વર “છે’ એમ ‘જાણવું ‘ એજ અઘરામાં અઘરું છે
ઘણા માણસો ઈશ્વર ‘છે ‘ એમ કહેવું અને ઈશ્વર’ છે’ એમ જાણવું
એ બેનો ભેદ સમજતા નથી .
ખરી રીતે એમને મન ઈશ્વર છે ,એ પરંપરાગત રૂઢીવાદ હોઈ
તે વિષે શંકા લેવાનું લાગતું નથી
ઈશ્વર છે કે નથી ?
એ શંકા શરુ થાય એ જ આધ્યાત્મિક જીવન ની નિશાની છે .

વિરલ


જીવનનો સઘળો થાક જેને છાંયડે માણસ ખંખેરી નાખે છે .
તેનું નામ ધર્મવૃક્ષ .
ઊર્મિ અને બુદ્ધિ ,
જેના દ્વાર પાસે નિત્ય ખડા રહે છે ,
ત્યાં અત્યંત વિરલ એવો શ્રી સરસ્વતી નો યોગ હોય છે .


ઠંડી ક્રુરતા

વાઘની ક્રુરતા ભયંકર એટલા માટે છે કે,
તેનામાં તુદ્દન શાંત રહેવાની શક્તિ છે ;
અને તક આપ્યા પહેલા દાબી દેવાની ઝડપ છે .
કેટલાક મનુષ્યો માં રહેલી ઠંડી ક્રુરતા
ખૂની સ્વભાવના મુકાબલે એટલા માટે જ
વધુ ભયંકર ગણાવી જોઈએ .

જાગૃતિ


નિત્યની જાગૃતિ વિનાજીવન માં વ્યવસ્થા શક્ય નથી
અને વ્યવસ્થા વિના જીવનમાં વિકાસ શક્ય નથી

ધૂમકેતુ (રજકણ માંથી)

  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

Leave a comment